ખેડા જિલ્લાના બાલાસિનોર, વિરપુર જેવા પછાત તાલુકાના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવશે. આ તાલુકા પંચમહાલ, સાબરકાંઠાની આદિવાસી અને અછતગ્રસ્ત વિસ્તારને અડીને આવેલ છે.
ઉપર જણાવ્યા મુજબના હેતુઓ સિધ્ધ કરવા માટે અમુલ ડેરી આણંદ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા 7500 બી.પી.એલ. કુટુંબોને આવરી લેતાં સ્પેશીયલ પ્રોજેકટ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યો જે તા.30-1-2004ના રોજ મંજુર કરવામાં આવ્યો.
દુધાળા પશુના બે વિયાણ વચ્ચેના 16 માસના એવરેજ સમયને ગણતરીમાં લઈને એક દુધાળા પશુ દીઠ નીચે મુજબ આવક થાય.