ઉદ્દેશો

  • ગરીબી નિવારણ માટેના ભારત સરકાર કે રાજય સરકાર જે કાર્યક્રમો નક્કી કરે તેનું સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓ મુજબ જિલ્લાકક્ષાએ અમલીકરણ કરવું.

  • જિલ્લા અને તાલુકાએ કામ કરતી વિવિધ એજન્સીઓનું સંકલન કરવું

  • ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોનું વખતો વખત સર્વેક્ષણ કરવું.

  • સર્વે કામગીરીનો સમન્વય કરી તાલુકાકક્ષાએથી વાર્ષિક આયોજન મંગાવી, મંજુર કરી જિલ્લાનું વાર્ષિક આયોજન તૈયાર કરવું.

  • કાર્યક્રમોનું જુદા જુદા સ્તરે મુલ્યાંકન અને દેખરેખ.

  • આંતઃસ્તરીય સગવડો ઉભી કરવી અને જુદા જુદા ક્ષેત્રોમાંથી સહયોગ મેળવવો.

  • કાર્યક્રમોનો પ્રસાર કરી લોકજાગૃતિ કેળવવી.

  • ગ્રામિણ ગરીબોને રોજગારી આપી આર્થિક ઉન્નતી કરવી.

  • પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે સદાય તત્પર રહેવું.

  • રાજય સરકાર નક્કી કરે તે મુજબ નિયત સમયે અહેવાલો મોકલવા.